My Frnds

Flag Counter

Sunday, 25 August 2013

એક એવી પરંપરા જે સ્વજનની લાશની દુર્દશા કરાવે છે


    ધારદાર અને તીક્ષ્ણ હથિયારો વડે આ લોકો અન્ય કોઈના નહીં, પરંતુ પોતાના સ્વજનોના શરીરનાં જ ટુકડે-ટુકડા કરીને માંસ ભૂખ્યા ગિદ્ધોને પીરસી દે છે. માનવ દ્વારા જ માનવશરીરની કરવામાં આવતી ખૌફનાક દુર્દશા, અહીંતહીં વિખરાયેલા વિવિધ અંગોના અને માંસના ટુકડા, લોહીના ખાબોચિયાં અને ગિદ્ધો દ્વારા તેની ઉડવાતી જ્યાફત. આ દૃશ્ય જોનારના રુંવાડા ખડા કરી દેનારું છે. પુત્ર પિતાના તો ક્યારેય દુઃખી હૃદયે પિતા પુત્રના શરીરના ટુકડા કરે છે. એવી તો શું વાત છે જે તેમને આવું કરવા મજબૂર કરી દે છે?

    દાદા-દાદી, પપ્પા-મમ્મી, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી, કાકા-કાકી, મામા-મામી, માસા-માસી, ફોઈ-ફૂવા અને નજીકના મિત્રો. આ એ લોકોનું લિસ્ટ છે જેને આપણે આપણા સ્વજન ગણીએ છીએ અને આમાંથી કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આપણને ઘણું દુઃખ થાય છે, પરંતુ ધીરજ ત્યારે ખૂટી પડે છે જ્યારે સ્વજન ચિતાને શરણે થાય છે. જ્યારે તેના દેહને પંચતત્ત્વોમાં વિલીન કરવા માટે મખાગ્નિ આપવામાં આવે છે ત્યારે કઠોર કાળજું ધરાવનાર વ્યક્તિ પણ પોતાના આંસુઓને રોકી શક્તી નથી. આવું થતું કોઈ રોકી શક્તું નથી. પુત્રએ પિતાને તો ક્યારેય પિતાએ પણ દિલ પર પત્થર મુકીને પોતાને પોતાના પનોતા પુત્રના અંતિમ સંસ્કાર કરવા પડે છે.
    હિંન્દુ ધર્મમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી વિવિધ સોળ સંસ્કાર કરવામાં આવે છે. અગ્નિ સંસ્કાર તેમાંનો એક છે. વિવિધ ધર્મ અને પ્રદેશોમાં સ્વજનના મૃત્યુ બાદ તેની અંતિમક્રિયા કરવાની પણ અલગ-અલગ પરંપરા છે. હિંન્દુઓમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. મુસ્લીમો અને ખ્રીસ્તીઓમાં દફન વિધિ કરવામાં આવે છે. જ્યારે કેટલાંક પ્રદેશોમાં મૃત શરીરને નદીમાં વહાવડાવી દેવામાં આવે છે.
    મોટાભાગના લોકો ઉપર જણાવ્યા પ્રામાણેની અંતિમ વિધિની પરંપરાઓ જાણે જ છે, પરંતુ એક એવી પરંપરા જણાવું કે જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું, જોયું કે વિચાર્યું પણ નહીં હોય. ભાતર-ચીન વચ્ચે ભૌગોલિક બફર ઝોન જેવા તિબેટની પરંપરા અનુસાર મૃતકોના ક્રિયા કર્મની અનોખી અને ખૂબ જ પ્રાચીન પ્રથા જેનું નામ સ્કાય બ્યૂરિયલ હતું તેપ્રચલનમાં હતી. જે અનુસાર મૃત વ્યક્તિના શરીરના નાના-નાના માંસના ટુકડાઓને યાક કે અન્ય દૂધમાં ભીંજવીને ભૂખ્યા ગિદ્ધોને પરોસવામાં આવતા હતા. આ બધું બીજું કોઈ નહીં, પરંતુ પરિવારજનો જ કરતાં હતાં. લાશના શરીરના બરહેમીથી ટુકડે ટુકડા કરીને ગિદ્ધો સામે નાખી દેવા એ ખરેખર અવિશ્વસનિય અને આશ્ચર્યજનક બાબત છે. આ પ્રથા ખૂબ જ ક્રૂર છે. તેની ક્રૂરતાનો પરિચય આપનારી હોશ ઉડાવી દે તેવી બીજી બાબત એ છે કે જ્યારે ગિદ્ધ માંસના ટુકડાઓથી પોતાનું પેને વામકુક્ષી કરવા લાગે ત્યારે બચેલા હાડકાંઓને ભેગાં કરી ખાંડીને તેને ભૂક્કો કરવામાં આવતો. જે કાગડાઓ અને બાજને પીરસવામાં આવતો.
    આપણે આને ક્રૂરતા ભલે ગણીએ, પરંતુ તિબેટવાસીઓ મૃત્યુબાદ થનારી શબોની આવી દુર્દશાને પવિત્ર પરંપરા માને છે. આ પરંપરા પાછળ તેમનું એવું માનવું છે કે આ રીતે અંતિમ ક્રિયા કરવાથી મૃતક જલ્દી ભગવાન પાસે પહોંચે છે અને ફરીથી બીજો જન્મ લે છે. જોકે આ પરંપરા પાછળ એક મત એવો પણ છે કે તિબેટની જમીન પથરાળ છે તેથી ત્યાં દફનાવવાનું કામ થોડું મુશ્કેલ બની શકે સાથે સળગાવવાની સામગ્રી કમીને કારણે આ પ્રથા અમલમાં આવી હશે.
    વિશ્વની પાંચ મહાસત્તાઓમાંનું એક એવું ચીન ભલે કોઈનાથી ના ડરે, પરંતુ તિબેટવાસીઓની આ ક્રૂર કહેવાતી પરંપરાથી જબરૃ ડરી ગયું હતું. ચીન દેશની કમ્યુનિસ્ટ સરકારે 1960ના દશકામાં આ અજીબોગરીબ પરંપરા પર પ્રતિબંધ ફરમાવી દીધો  હતો, પણ 1980ના દશકામાં આ પ્રથા ફરીથી જોવા મળી. આ પ્રથા કેટલી હદે ક્રૂર છે તે જાણવા માટે નીચેની તસવીરો જુઓ.

(નોંધઃ રુંવાડા ખડા કરી દેનારી આ તસવીરો તમને વિચલીત કરી શકે છે.)