SANDESH: Nakshatra :19-9-13
કવર સ્ટોરી - ધનંજય પટેલ
ક્યારેક ક્યારેક એવું જોવા મળે છે કે આપણો કોઈ દોષ ન હોય, આપણે કોઈ પણ પાપકર્મ ન કર્યું હોય છતાં પણ જીવનમાં કષ્ટો ભોગવવાં પડે છે. આવું થવાનું એકમાત્ર કારણ પિતૃદોષ હોય છે. આ સિવાય પણ આપણે અજ્ઞાનતાવશ આપણા પૂર્વજોને જે કષ્ટ આપીએ છીએ તે પણ આપણાં દુઃખો અને કષ્ટોનું કારણ બને છે
જ્યોતિષશાસ્ત્રમાં ઘણા પ્રકારના દોષો વિશે જણાવવામાં આવ્યું છે, તેમાંથી એક છે પિતૃદોષ. જન્મકુંડળીમાં નવમા સ્થાનમાં રાહુ, કેતુ, શનિ અથવા મંગળ પોતાની નીચ રાશિમાં બેઠા હોય. નવમેશની સાથે આ ગ્રહોની યુતિ બની રહી હોય ત્યારે પિતૃદોષ રચાય છે. ચંદ્રથી અથવા ચંદ્રમાની રાશિથી નવમા સ્થાનમાં પાપગ્રહ બેઠા હોય. જન્મકુંડળીમાં જો ચંદ્ર અને સૂર્ય રાહુ-કેતુથી ગ્રસિત હોય ત્યારે પણ પિતૃદોષ રચાય છે.
પિતૃદોષનો પ્રભાવ
* જન્મકુંડળીમાં પિતૃદોષ હોય તો વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે છતાં પણ સફળતા તેનાથી દૂરને દૂર જ રહે છે.
* આવી વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
* અવારનવાર દુર્ઘટના કે અકસ્માત થતા રહે છે.
* જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દોષ હોય તો તે વ્યક્તિના અકાળ મૃત્યુની શક્યતા રહે છે.
* પિતૃઓના શાપને કારણે વંશવૃદ્ધિ પણ અટકી જાય છે.
* મર્હિષ પરાશરે લખ્યું છે કે 'પિતૃશાપત્સુતક્ષયઃ' અર્થાત્ પિતૃઓના શાપથી સંતાનની હાનિ થાય છે.
પિતૃદોષ કેમ લાગે છે?
પરિવારનાં સ્ત્રી-પુરુષ મૃત્યુ પછી પિતૃ કહેવાય છે. બ્રહ્મપુરાણ અનુસાર મૃત્યુ બાદ જે વ્યક્તિનું શ્રાદ્ધકર્મ શાસ્ત્રોક્ત રીતે ન કરવામાં આવ્યું હોય અથવા કરવામાં જ ન આવ્યું હોય તેમને પિતૃલોકમાં સ્થાન મળતું નથી. તેઓ ભૂતપ્રેત બનીને ભટકતા રહે છે અને કષ્ટ ભોગવે છે. શ્રાદ્ધ પક્ષમાં યમરાજની આજ્ઞાથી વિવિધ યોનિઓમાં રહેલા પિતૃગણ શ્રાદ્ધની ઇચ્છાથી પોતાનાં સંતાનોના ઘરના દરવાજા પાસે આવીને બેસી જાય છે. પિતૃપક્ષના ૧૫ દિવસ સુધી જે વ્યક્તિ પોતાના પિતૃઓને શ્રદ્ધાપૂર્વક અન્ન, જળ, ખીર-પુરી આપે તથા તેમના નામથી બ્રાહ્મણોને ભોજન કરાવે તો તેઓ પિતૃઓના આશીર્વાદથી પિતૃદોષથી મુક્ત થઈ જાય છે. જે લોકો પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરતા નથી તેમના સંતાનની કુંડળીમાં પિતૃદોષ રચાય છે તથા બીજા જન્મમાં પણ તે પિતૃદોષથી પીડાઈને કષ્ટ ભોગવે છે.
પિતૃદોષનો પંચગ્રાસ ઉપાય
પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ બધા જ ઉપાયોમાં સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય પંચગ્રાસનો છે. પંચગ્રાસ કેવી રીતે બનાવવો તે જાણીએ.
પિતૃઓ નિમિત્તે ભોજન બનાવીને તેના પાંચ ભાગ કરી લો. આ દરેક ભાગમાં જવ અને તલ મેળવો. આમાંથી પહેલો ભાગ ગાયને ખવડાવવો, બીજો ભાગ કાગડાને ખવડાવવો, ત્રીજો ભાગ બિલાડીને ખવડાવવો, ચોથો ભાગ કૂતરાને ખવડાવવો, પાંચમો ભાગ સૂમસામ જગ્યાએ મૂકી આવવો. એક વાત યાદ રાખો કે પાછા ફરતી વખતે પાછળ ફરીને જોવું નહીં. ઘરે આવી ગયા પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું. ભોજનમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જે વસ્તુઓ કે વાનગી પિતૃઓને પસંદ હતી તે બનાવવી.
જો તમે બ્રાહ્મણને ભોજન કરાવવામાં અસમર્થ હો તો ૧૫ દિવસ સુધી ગાયને ઘાસ ખવડાવવું અને પાણી પીવડાવવું. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આમ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે તથા તેમને મુક્તિ મળી જાય છે. શ્રાદ્ધકર્મ કરનારને પિતૃઓના આશીર્વાદ મળે છે. તેમની ઉન્નતિ થાય છે અને કષ્ટ દૂર થાય છે.
પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો
* પિતૃદોષના નિવારણ માટે પિતૃપક્ષમાં શ્રદ્ધાપૂર્વક નિયમિત શ્રાદ્ધ કરો. જો દરરોજ શ્રાદ્ધ કરવું શક્ય ન હોય તો સર્વપિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરો.
* ગુરુવારના દિવસે સંધ્યાકાળે પીપળાના વૃક્ષને જળ ચઢાવીને સાત વાર પ્રદક્ષિણા કરો. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવવો.
* દરરોજ પોતાના ભોજનમાંથી ગાય, કૂતરા તથા કાગડાઓને અવશ્ય ખવડાવવું.
* ભાગવત કથાનો પાઠ અથવા તેનું શ્રવણ કરવું.
* નારાયણ બલિ, નાગ બલિની વિધિ કરાવવી.
* પિતૃપક્ષમાં દરરોજ અથવા મહિનામાં એક વાર રુદ્રાભિષેક કરવો.
* પોતાના કુળદેવતા તથા કુળદેવીનું પૂજન કરવું.
* શ્રાદ્ધપક્ષમાં પિતૃ-સુક્તનો પાઠ નિયમિત રીતે કરવો.
* કાગડા તથા માછલીઓને ચોખા તથા ઘી મેળવીને બનાવેલા લાડુ દર શનિવારે ખવડાવવા.
* પિતૃપક્ષમાં બ્રાહ્મણોને ભોજન કરાવવું.
* ભગવાન દત્તાત્રેયની પૂજા કરો તથા 'શ્રી ગુરુદેવદત્ત' મંત્રનો યથાશક્તિ જાપ કરવો.
* ઘરના વડીલોને પ્રેમ, આદર, સન્માન આપો. તેમને પ્રસન્ન અને સંતુષ્ટ રાખવાથી પિતૃદોષમાં લાભ મળે છે.
આટલું એક જ વાર કરો
પિતૃદોષને દૂર કરવાનો ઉત્તમ ઉપાય એક વાર કરવાની પૂજા છે. આ પૂજા કોઈ પણ પ્રકારના પિતૃદોષને દૂર કરવામાં સક્ષમ છે. સોમવતી અમાસ (જે અમાસે સોમવાર હોય)ના દિવસે ઘરની નજીક સ્થિત કોઈ પણ પીપળાના વૃક્ષ પાસે જાઓ અને તે વૃક્ષને એક જનોઈ અર્પણ કરો ત્યારબાદ બીજી એક જનોઈ ભગવાન વિષ્ણુના નામે તે જ પીપળાના વૃક્ષને અર્પણ કરો. પીપળાના વૃક્ષ અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો. પછી ૧૦૮ વાર પીપળાની પ્રદક્ષિણા કરો અને દર એક પ્રદક્ષિણાએ, મીઠાઈ કે ગળી વસ્તુ મૂકતા જાઓ. પરિક્રમા કરતી વખતે 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરતા જાઓ. પરિક્રમા પૂરી કર્યા બાદ ફરીથી પીપળાના વૃક્ષ તથા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો અને જાણતા-અજાણતા થયેલા અપરાધોની ક્ષમા માગો. સોમવતી અમાસની આ પૂજાથી ઉત્તમ ફળ મળવા લાગે છે.
રાશિ અનુસાર ઉપાયો
* મેષઃ પીપળા પર સવારે જળ ચઢાવો અને સાંજે દીવો કરો.
* વૃષભઃ નવદુર્ગાનું પૂજન કરો તથા કુંવારી કન્યાઓને ખીર ખવડાવો.
* મિથુનઃ કોઈ ગરીબ કન્યાના વિવાહમાં અથવા તેની બીમારીમાં તેને શક્ય તેટલી મદદ કરો.
* કર્કઃ દૂધ અથવા અડદમાંથી બનાવેલી વસ્તુનું દાન કરો.
* સિંહઃ કોઈ પણ પ્રકારનાં અનાજ અથવા ખાટલા (પલંગ)નું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો.
* કન્યાઃ શિવપૂજન અથવા ગીતાપાઠ કરો.
* તુલાઃ સિંદૂર, તલ, તેલ તથા અડદનું બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને દાન કરો.
* વૃશ્ચિકઃ કમળનું ફૂલ તથા ગૂગળની આહુતિ આપીને હવન કરો.
* ધનઃ કુળદેવતાની પૂજા-અર્ચના કરવી.
* મકરઃ રુદ્રપૂજન અથવા શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો.
* કુંભઃ પિતૃતર્પણ તથા ગીતાપાઠ કરો.
* મીનઃ ભગવાન શ્રીગણેશ, હનુમાનજી અથવા ભૈરવજીનો પાઠ કરો.
પિતૃદોષ નિવારણ યંત્ર
જેમને મૃત્યુ પછી મુક્તિ ન મળી હોય તેવા પિતૃઓ અને પૂર્વજોનું પૂજન જરૂરી છે. જેના પૂર્વજો પ્રેતયોનિમાં ભટક્યા કરે તે નજરદોષનો શિકાર બની શકે છે. તેના પરિવારમાં પુત્રપ્રાપ્તિ થતી નથી. પૂર્વજોનું પૂજન પિતૃદોષ નિવારક યંત્ર દ્વારા થઈ શકે છે. આ યંત્રની નિયમિત પૂજા કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને અનેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
http://www.sandesh.com/article.aspx?newsid=2368888
કવર સ્ટોરી - ધનંજય પટેલ
ક્યારેક ક્યારેક એવું જોવા મળે છે કે આપણો કોઈ દોષ ન હોય, આપણે કોઈ પણ પાપકર્મ ન કર્યું હોય છતાં પણ જીવનમાં કષ્ટો ભોગવવાં પડે છે. આવું થવાનું એકમાત્ર કારણ પિતૃદોષ હોય છે. આ સિવાય પણ આપણે અજ્ઞાનતાવશ આપણા પૂર્વજોને જે કષ્ટ આપીએ છીએ તે પણ આપણાં દુઃખો અને કષ્ટોનું કારણ બને છે
જ્યોતિષશાસ્ત્રમાં ઘણા પ્રકારના દોષો વિશે જણાવવામાં આવ્યું છે, તેમાંથી એક છે પિતૃદોષ. જન્મકુંડળીમાં નવમા સ્થાનમાં રાહુ, કેતુ, શનિ અથવા મંગળ પોતાની નીચ રાશિમાં બેઠા હોય. નવમેશની સાથે આ ગ્રહોની યુતિ બની રહી હોય ત્યારે પિતૃદોષ રચાય છે. ચંદ્રથી અથવા ચંદ્રમાની રાશિથી નવમા સ્થાનમાં પાપગ્રહ બેઠા હોય. જન્મકુંડળીમાં જો ચંદ્ર અને સૂર્ય રાહુ-કેતુથી ગ્રસિત હોય ત્યારે પણ પિતૃદોષ રચાય છે.
પિતૃદોષનો પ્રભાવ
* જન્મકુંડળીમાં પિતૃદોષ હોય તો વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે છતાં પણ સફળતા તેનાથી દૂરને દૂર જ રહે છે.
* આવી વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
* અવારનવાર દુર્ઘટના કે અકસ્માત થતા રહે છે.
* જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દોષ હોય તો તે વ્યક્તિના અકાળ મૃત્યુની શક્યતા રહે છે.
* પિતૃઓના શાપને કારણે વંશવૃદ્ધિ પણ અટકી જાય છે.
* મર્હિષ પરાશરે લખ્યું છે કે 'પિતૃશાપત્સુતક્ષયઃ' અર્થાત્ પિતૃઓના શાપથી સંતાનની હાનિ થાય છે.
પિતૃદોષ કેમ લાગે છે?
પરિવારનાં સ્ત્રી-પુરુષ મૃત્યુ પછી પિતૃ કહેવાય છે. બ્રહ્મપુરાણ અનુસાર મૃત્યુ બાદ જે વ્યક્તિનું શ્રાદ્ધકર્મ શાસ્ત્રોક્ત રીતે ન કરવામાં આવ્યું હોય અથવા કરવામાં જ ન આવ્યું હોય તેમને પિતૃલોકમાં સ્થાન મળતું નથી. તેઓ ભૂતપ્રેત બનીને ભટકતા રહે છે અને કષ્ટ ભોગવે છે. શ્રાદ્ધ પક્ષમાં યમરાજની આજ્ઞાથી વિવિધ યોનિઓમાં રહેલા પિતૃગણ શ્રાદ્ધની ઇચ્છાથી પોતાનાં સંતાનોના ઘરના દરવાજા પાસે આવીને બેસી જાય છે. પિતૃપક્ષના ૧૫ દિવસ સુધી જે વ્યક્તિ પોતાના પિતૃઓને શ્રદ્ધાપૂર્વક અન્ન, જળ, ખીર-પુરી આપે તથા તેમના નામથી બ્રાહ્મણોને ભોજન કરાવે તો તેઓ પિતૃઓના આશીર્વાદથી પિતૃદોષથી મુક્ત થઈ જાય છે. જે લોકો પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરતા નથી તેમના સંતાનની કુંડળીમાં પિતૃદોષ રચાય છે તથા બીજા જન્મમાં પણ તે પિતૃદોષથી પીડાઈને કષ્ટ ભોગવે છે.
પિતૃદોષનો પંચગ્રાસ ઉપાય
પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ બધા જ ઉપાયોમાં સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય પંચગ્રાસનો છે. પંચગ્રાસ કેવી રીતે બનાવવો તે જાણીએ.
પિતૃઓ નિમિત્તે ભોજન બનાવીને તેના પાંચ ભાગ કરી લો. આ દરેક ભાગમાં જવ અને તલ મેળવો. આમાંથી પહેલો ભાગ ગાયને ખવડાવવો, બીજો ભાગ કાગડાને ખવડાવવો, ત્રીજો ભાગ બિલાડીને ખવડાવવો, ચોથો ભાગ કૂતરાને ખવડાવવો, પાંચમો ભાગ સૂમસામ જગ્યાએ મૂકી આવવો. એક વાત યાદ રાખો કે પાછા ફરતી વખતે પાછળ ફરીને જોવું નહીં. ઘરે આવી ગયા પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું. ભોજનમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જે વસ્તુઓ કે વાનગી પિતૃઓને પસંદ હતી તે બનાવવી.
જો તમે બ્રાહ્મણને ભોજન કરાવવામાં અસમર્થ હો તો ૧૫ દિવસ સુધી ગાયને ઘાસ ખવડાવવું અને પાણી પીવડાવવું. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આમ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે તથા તેમને મુક્તિ મળી જાય છે. શ્રાદ્ધકર્મ કરનારને પિતૃઓના આશીર્વાદ મળે છે. તેમની ઉન્નતિ થાય છે અને કષ્ટ દૂર થાય છે.
પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો
* પિતૃદોષના નિવારણ માટે પિતૃપક્ષમાં શ્રદ્ધાપૂર્વક નિયમિત શ્રાદ્ધ કરો. જો દરરોજ શ્રાદ્ધ કરવું શક્ય ન હોય તો સર્વપિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરો.
* ગુરુવારના દિવસે સંધ્યાકાળે પીપળાના વૃક્ષને જળ ચઢાવીને સાત વાર પ્રદક્ષિણા કરો. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવવો.
* દરરોજ પોતાના ભોજનમાંથી ગાય, કૂતરા તથા કાગડાઓને અવશ્ય ખવડાવવું.
* ભાગવત કથાનો પાઠ અથવા તેનું શ્રવણ કરવું.
* નારાયણ બલિ, નાગ બલિની વિધિ કરાવવી.
* પિતૃપક્ષમાં દરરોજ અથવા મહિનામાં એક વાર રુદ્રાભિષેક કરવો.
* પોતાના કુળદેવતા તથા કુળદેવીનું પૂજન કરવું.
* શ્રાદ્ધપક્ષમાં પિતૃ-સુક્તનો પાઠ નિયમિત રીતે કરવો.
* કાગડા તથા માછલીઓને ચોખા તથા ઘી મેળવીને બનાવેલા લાડુ દર શનિવારે ખવડાવવા.
* પિતૃપક્ષમાં બ્રાહ્મણોને ભોજન કરાવવું.
* ભગવાન દત્તાત્રેયની પૂજા કરો તથા 'શ્રી ગુરુદેવદત્ત' મંત્રનો યથાશક્તિ જાપ કરવો.
* ઘરના વડીલોને પ્રેમ, આદર, સન્માન આપો. તેમને પ્રસન્ન અને સંતુષ્ટ રાખવાથી પિતૃદોષમાં લાભ મળે છે.
આટલું એક જ વાર કરો
પિતૃદોષને દૂર કરવાનો ઉત્તમ ઉપાય એક વાર કરવાની પૂજા છે. આ પૂજા કોઈ પણ પ્રકારના પિતૃદોષને દૂર કરવામાં સક્ષમ છે. સોમવતી અમાસ (જે અમાસે સોમવાર હોય)ના દિવસે ઘરની નજીક સ્થિત કોઈ પણ પીપળાના વૃક્ષ પાસે જાઓ અને તે વૃક્ષને એક જનોઈ અર્પણ કરો ત્યારબાદ બીજી એક જનોઈ ભગવાન વિષ્ણુના નામે તે જ પીપળાના વૃક્ષને અર્પણ કરો. પીપળાના વૃક્ષ અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો. પછી ૧૦૮ વાર પીપળાની પ્રદક્ષિણા કરો અને દર એક પ્રદક્ષિણાએ, મીઠાઈ કે ગળી વસ્તુ મૂકતા જાઓ. પરિક્રમા કરતી વખતે 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરતા જાઓ. પરિક્રમા પૂરી કર્યા બાદ ફરીથી પીપળાના વૃક્ષ તથા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો અને જાણતા-અજાણતા થયેલા અપરાધોની ક્ષમા માગો. સોમવતી અમાસની આ પૂજાથી ઉત્તમ ફળ મળવા લાગે છે.
રાશિ અનુસાર ઉપાયો
* મેષઃ પીપળા પર સવારે જળ ચઢાવો અને સાંજે દીવો કરો.
* વૃષભઃ નવદુર્ગાનું પૂજન કરો તથા કુંવારી કન્યાઓને ખીર ખવડાવો.
* મિથુનઃ કોઈ ગરીબ કન્યાના વિવાહમાં અથવા તેની બીમારીમાં તેને શક્ય તેટલી મદદ કરો.
* કર્કઃ દૂધ અથવા અડદમાંથી બનાવેલી વસ્તુનું દાન કરો.
* સિંહઃ કોઈ પણ પ્રકારનાં અનાજ અથવા ખાટલા (પલંગ)નું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો.
* કન્યાઃ શિવપૂજન અથવા ગીતાપાઠ કરો.
* તુલાઃ સિંદૂર, તલ, તેલ તથા અડદનું બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને દાન કરો.
* વૃશ્ચિકઃ કમળનું ફૂલ તથા ગૂગળની આહુતિ આપીને હવન કરો.
* ધનઃ કુળદેવતાની પૂજા-અર્ચના કરવી.
* મકરઃ રુદ્રપૂજન અથવા શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો.
* કુંભઃ પિતૃતર્પણ તથા ગીતાપાઠ કરો.
* મીનઃ ભગવાન શ્રીગણેશ, હનુમાનજી અથવા ભૈરવજીનો પાઠ કરો.
પિતૃદોષ નિવારણ યંત્ર
જેમને મૃત્યુ પછી મુક્તિ ન મળી હોય તેવા પિતૃઓ અને પૂર્વજોનું પૂજન જરૂરી છે. જેના પૂર્વજો પ્રેતયોનિમાં ભટક્યા કરે તે નજરદોષનો શિકાર બની શકે છે. તેના પરિવારમાં પુત્રપ્રાપ્તિ થતી નથી. પૂર્વજોનું પૂજન પિતૃદોષ નિવારક યંત્ર દ્વારા થઈ શકે છે. આ યંત્રની નિયમિત પૂજા કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને અનેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
http://www.sandesh.com/article.aspx?newsid=2368888