મંત્રોની શક્તિ તથા તેનું મહત્ત્વ જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત તમામ પ્રકારનાં રત્નો અને ઉપાયોથી પણ વધારે છે. એવા ઘણા દોષ છે જેના પર રત્ન તથા ઉપાયો દ્વારા નિયંત્રણ મેળવવું મુશ્કેલ છે, પરંતુ મંત્રોના માધ્યમથી ઘણી હદ સુધી તેને નિયંત્રણમાં રાખી શકાય છે
જ્યોતિષમાં રત્નોનો પ્રયોગ કુંડળીમાં માત્ર શુભ અસર આપનારા ગ્રહોને બળ પ્રદાન કરવા માટે કરી શકાય છે તથા અશુભ અસર કે પરિણામ આપનારા ગ્રહોનાં રત્નો ધારણ કરવા વર્જિત માનવામાં આવે છે, કારણ કે જે ગ્રહનું રત્ન ધારણ કર્યું હોય તે ગ્રહને બળ મળે છે, પરંતુ તેનો સ્વભાવ બદલાતો નથી. તેથી શુભ ફળ આપનારા ગ્રહનું બળ વધવાથી તેના દ્વારા થનારી હાનિ કે નુકસાનની માત્રા પણ ઘટે છે જ્યારે બીજી તરફ ખરાબ ફળ આપનારા ગ્રહોનું બળ વધવાથી તેના દ્વારા થનારા નુકસાનની માત્રા વધી જાય છે. તેથી કુંડળીમાં ખરાબ ફળ આપનારા ગ્રહોનાં રત્નોને ક્યારેય ધારણ કરવાં જોઈએ નહીં.
ગ્રહને બળવાન બનાવવા તથા તેના ખરાબ પ્રભાવમાંથી બચવા માટે જે-તે ગ્રહના ઉપાયો કરી શકાય, પરંતુ ગ્રહના મંત્રો જેવો અસરકારક બીજો કોઈ ઉપાય નથી. મંત્રોનો પ્રયોગ તમે કુંડળીમાં સારી તથા ખરાબ અસર આપનારા ગ્રહો માટે કરી શકો છો. સામાન્ય સ્થિતિમાં નવ ગ્રહોના મૂળ મંત્ર, વિશેષ લાભ મેળવવા માટે બીજમંત્ર તથા વેદ મંત્રોના જપ કરવા જોઈએ.
નવ ગ્રહોના મૂળ મંત્ર
• સૂર્યઃ ૐ સૂર્યાય નમઃ ।
• ચંદ્રઃ ૐ ચંદ્રાય નમઃ ।
• મંગળઃ ૐ ભૌમાય નમઃ ।
• બુધઃ ૐ બુધાય નમઃ ।
• ગુરુઃ ૐ ગુરવે નમઃ ।
• શુક્રઃ ૐ શુક્રાય નમઃ ।
• શનિઃ ૐ શનયે નમઃ । અથવા ૐ શનિશ્ચરાય નમઃ ।
• રાહુઃ ૐ રાહવે નમઃ ।
• કેતુઃ ૐ કેતવે નમઃ ।
નવ ગ્રહોના બીજમંત્ર
• સૂર્યઃ ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ ।
• ચંદ્રઃ ૐ શ્રાં શ્રીં શ્રૌં સઃ ચંદ્રાય નમઃ ।
• મંગળઃ ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ ।
• બુધઃ ૐ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ ।
• ગુરુઃ ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સઃ ગુરવે નમઃ ।
• શુક્રઃ ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ ।
• શનિઃ ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનયે નમઃ ।
• રાહુઃ ૐ ભ્રાં ભ્રીં ભ્રૌં સઃ રાહવે નમઃ ।
• કેતુઃ ૐ સ્ત્રાં સ્ત્રીં સ્ત્રૌં સઃ કેતવે નમઃ ।
નવ ગ્રહોના વેદ મંત્ર
• સૂર્યઃ ૐ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતં મતર્ય ચ
હિરણ્યેન સવિતા રથેના દેવો યાતિ ભુવનાનિ પશ્યન ।।
ઈદં સૂર્યાય ન મમ ।।
• ચંદ્રઃ ૐ ઈમં દેવાડસપત્ ન ગ્વં સુવધ્વમ્ મહતે ક્ષત્રાય મહતે જ્યેષ્ઠયાય
મહતે જાનરાજ્યાયેન્દ્રસ્યેન્દ્રિયાય ઈમમમુષ્ય પુત્રમુષ્યૈ પુત્રમુષ્યૈ વિશ એષં
વોડમી રાજા સૌમોડ્સ્માકં બ્રાહ્મણાનાં ગ્વં રાજા ।। ઈદં ચંદ્રમસે ન મમ ।।
• મંગળઃ ૐ અગ્નિમુર્દ્ધ દિવઃ કકુપતિઃ પૃથિવ્યા અયમ્ ।
અપા ગ્વં રેતા ગ્વં સિ જિન્વતિ । ઈદં ભૌમાય, ઈદં ન મમ ।।
• બુધઃ ૐ ઉદબુધ્યસ્વાગ્ને પ્રતિ જાગૃહિત્વમિષ્ટાપૂર્તે સ ગ્વં સૃજેથામયં ચ ।
અસ્મિન્ત્સધસ્થે અધ્યુત્તરસ્મિન્ વિશ્વેદેવા યજમાનશ્ચ સીદત ।।
ઈદં બુધાય, ઈદં ન મમ ।।
• ગુરુઃ ૐ બૃહસ્પતે અતિ યદર્યો અહાર્દ્ દ્યુમદ્વિભાતિ ક્રતુમજ્જનેષુ ।
યદદીયચ્છવસ ઋતપ્રજાત તદસ્માસુ દ્રવિણં ધેહિ ચિત્રમ ।।
ઈદં બૃહસ્પતયે, ઈદં ન મમ ।।
• શુક્રઃ ૐ અન્નાત્ પરિસ્રુતો રસં બ્રહ્મણા વ્યપિબત્ ક્ષત્રં પયઃ ।
સોમં પ્રજાપતિઃ ઋતેન સત્યમિન્દ્રિયં પિવાનં ગ્વં
શુક્રમન્ધસડઈન્દ્રસ્યેન્દ્રિયમિદં પયોડમૃતં મધુ ।।
ઈદં શુક્રાય, ન મમ ।।
• શનિઃ ૐ શન્નો દેવિરભિષ્ટય આપો ભવન્તુ પીતયે ।
શંય્યોરભિસ્ત્રવન્તુ નઃ । ઈદં શનૈશ્ચરાય, ઈદં ન મમ ।।
• રાહુઃ ૐ કયાનશ્ચિત્ર આ ભુવદ્વતી સદા વૃધઃ સખા ।
કયા શચિંષ્ઠયા વૃતા ।। ઈદં રાહવે, ઈદં ન મમ ।।
• કેતુઃ ૐ કેતું કણ્વન્ન કેતવે પેશો મર્યા અપેશસે ।
સમુષદભિરજા યથાઃ । ઈદં કેતવે, ઈદં ન મમ ।।
નવગ્રહ મંત્ર
ૐ બ્રહ્મા મુરારિસ્ત્રિપુરાન્તકારી
ભાનુઃ શશી ભૂમિસૂતોબુધશ્ચ ।
ગુરુશ્ચ શુક્રઃ શનિરાહુ કેતવઃ
સર્વે ગ્રહાઃ શાન્તકારા ભવન્તુ ।।
મંત્ર જપ દ્વારા સર્વોત્તમ ફળ મેવવવા માટે મંત્રોનો જપ નિયમિત રીતે તથા અનુશાસનપૂર્વક કરવો જોઈએ. વેદ મંત્રોનો જપ માત્ર એ જ લોકોએ કરવો જોઈએ જેઓ વ્રતીના દરેક નિયમ પાળતા હોય. કોઈ પણ મંત્રનો જપ એક માળા એટલે કે ૧૦૮ વાર કરવો જોઈએ. તેના માટે સૌથી પહેલાં તમારે જાણી લેવું જોઈએ કે તમારી જન્મકુંડળી અનુસાર કયા ગ્રહના મંત્ર જપ કરવાથી સૌથી વધારે લાભ થઈ શકે એમ છે.
No comments:
Post a Comment